Home Gujarat Jamnagar ખંભાળિયામાં લોહાણા યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ.

ખંભાળિયામાં લોહાણા યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ.

0

ખંભાળિયામાં યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ.

ખંભાળિયા : ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઈ શાંતિલાલ ઉનડકટ નામના 40 વર્ષના યુવાનને ખંભાળિયાના રહીશ સંજય નાથા મેઘવાર, દેવા નાથા મેઘવાર અને કિશન ઉર્ફે પાંચો નામના ત્રણ શખ્સોએ લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી દિલીપભાઈ અત્રે જોધપુર ગેઈટ વિસ્તારમાં એક મંદિર પાસે ઊભા હતા, ત્યારે આરોપી સંજય નાથાએ પોતાની રિક્ષા રાખવા બાબતે બોલાચાલી કર્યા બાદ આ બાબતનો ખાર રાખી, હુમલો કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

પોલીસે આઈ.પી.સી. કલમ 323, 325, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી પી.એસ.આઇ. પ્રદીપસિંહ જાડેજાએ હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version