Home Gujarat Jamnagar કોરોનાનું સંક્રમણ ઘટયું પછી ક્રિકેટ બંગલામાં પ્રવેશ બંધી : સરકાર રહી રહી...

કોરોનાનું સંક્રમણ ઘટયું પછી ક્રિકેટ બંગલામાં પ્રવેશ બંધી : સરકાર રહી રહી ને જાગી.

0

કોરોના નું સંક્રમણ ઘટયું પછી ક્રિકેટ બંગલામાં પ્રવેશ બંધી : સરકાર રહી રહી ને જાગી.

સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના પરિપત્રથી ખેલાડીઓમાં કચવાટ.

ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું.

રાજ્ય સરકારના સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના સચિવ દ્વારા વર્તમાન કોરોના વાઈરસ મહામારીના સંદર્ભ જામનગર સહિત ગુજરાતના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ, હોસ્ટેલ બંધ કરવાનો પરિપત્ર કરેલ છે આ પરિપત્ર તમામ રમતો અને સ્પોર્ટસ કોમ્પલેકસમાં ખેલાડીઓ માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે.

એક બાજુ ગુજરાતમાં ભયંકર કેસ વધતા હતા ત્યારે આઇ.પી.એલ ક્રિકેટ ટુર્નામેન્ટુ યોજાણી હતી જ્યારે ક્રિકેટ બંગલામાં નાના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય અને તે પ્રેક્ટિસ પ્રેક્ષક વગરની હોય તે બંધ કરાતા ખેલાડીઓમાં રોષની લાગણી જન્મી છે.

આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સોશિયલ distance સાથે ક્રિકેટની પ્રેક્ટિસ ચાલતી હતી પરંતુ રાજ્ય સરકારના પરિપત્રને લઈ જામનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર નાના ખેલાડીઓને પ્રવેશ બંધી કરાઈ છે.

જામનગરનું ક્રિકેટ માટેનું એકમાત્ર ગ્રાઉન્ડ એટલે ક્રિકેટ બંગલો તેમાં પણ કોરોના મહામારી અને ધ્યાનમાં લઇ  સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવે પરિપત્ર બહાર પાડી ખેલાડીઓને મેદાનમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા પ્રેક્ટિસ કરતા નાના ખેલાડીઓમાં કચવાટ ઉભો થયો છે. અને પરિપત્ર ફેર વિચારણા કરવાની માંગણી ઉઠવા પામી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version