Home Gujarat કિરીટ જોશી હત્યા કેસના આરોપી અજયપાલ ને ફૂંકી મારવા જાવેદખાન બ્લોચે બનાવ્યા...

કિરીટ જોશી હત્યા કેસના આરોપી અજયપાલ ને ફૂંકી મારવા જાવેદખાન બ્લોચે બનાવ્યા ચાર દેશી બોંબ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો.

0

કિરીટ જોશી હત્યા કેસના આરોપી અજયપાલ ને ફૂંકી મારવા જાવેદખાન બ્લોચે બનાવ્યા ચાર દેશી બોમ્બ : ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો.

લેણદારનેની ફૂંકી મારવા બનાવેલા ચાર દેશી બોમ્બ સાથે જાવેદ ખાન ઉર્ફે બાબા ઉર્ફે જિલ્લતી અકબરખાન બલોચને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

નશો કરવાની ટેવ હોય અને ઉધારી માથે ચડી જતાસામાવાળા અજયપાલ ઉર્ફે બોબીએ મોબાઇલ ફોન લઈ લેતા તેરી ફૂંકી મારવા આરોપીએ બોંબ બનાવ્યાની કબૂલાત કરી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક અમદાવાદ :

ક્રાઇમ બ્રાંચના પી.આઇ એન.આર બ્રહ્મભટ્ટને બાતમી મળી હતી કે એક યુવક થેલીમાં દેશી બનાવટના જીવતા બોંબ લઈને દાણીલીમડા તરફના રિવરફ્રન્ટ પરથી ચાલતો સરદાર બ્રિજ થઈ એલિસબ્રિજ તરફ જઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને જાવેદ ખાન ઉર્ફે બાબા ઉર્ફે જિલ્લતી અકબરખાન બલોચ ઉ.વ- ૩૮ ને રહે. પોપટીયાવડ દરિયાપુર ને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી ચાર જીવતા દેશી બોંબ કબ્જે કરી ડિફયુઝ કરવાની કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં જેને મારવા કે ફસાવવા માટે દેશી બનાવટના બોંબ બનાવ્યા હોવાનું કહેવાય છે અજયપાલ ઉર્ફે બોબીએ જામનગરના ચકચારી એડવોકેટ કિરીટ જોશી હત્યા કેસના આરોપીને અમદાવાદમાં આશરો આપ્યો હતો આ કેસમાં પોલીસ છે અજયપાલ વિરુદ્ધમાં હત્યારાઓને મદદગારી નો ગુનો નોંધી તેની ધરપકડ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે આ મામલે પોલીસે વધુ તપાસ આદરી છે

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version