ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી સખી વનસ્ટોપ સેન્ટર.

0
182

ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન કરાવતી સખી વનસ્ટોપ સેન્ટર.

ખંભાળીયા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘર છોડીને જતી રહેલી માનસિક રીતે પીડિત મહિલાનું પરિવાર સાથે સુખ:દ મિલન

જામનગર: જામનગર જીલ્લાના ચેલા ગામમાં રહેતા માંનસિક રીતે પીડિત બહેન પોતાના ઘરેથી તારીખ 04/04/2021 ના બપોરના સમયે ઘરે કોઇને જાણ કર્યા વીના નીકળી ગયેલા અને ખંભાળીયા તાલુકાના વિરમદળ ગામમાં આવી ગયેલા જે દરમિયાન વિરમદળ ગામના કોઇ અજાણયા વ્યક્તિ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરેલ જે અંતગર્ત પિડીતા બહેન પાસે કોઇના સંપર્ક નંબર ના હોવાથી તથા આશ્રયની જરૂરીયાત હોવાથી તારીખ 04/04/2021ના રોજ રાતના 10:23 કલાકે સખી વન સ્ટોપ સેંન્ટર પર લઇ આવેલ અને બહેનને સેંન્ટર પર આશ્રય આપવામાં આવેલ જે દરમિયાન બહેન દ્વારા જાણવા મળેલ કે તેઓ જામનગર જીલ્લાના દરેડ ગામના રહેવાસી છે.

ત્યાર બાદ દ્વારકા જીલ્લાના મહિલા અને બાળ અધીકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધીકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેંન્ટરના કર્મચારીઓ દ્વારા દરેડ ગામના સરપચંશ્રીનો સંપર્ક કરેલ અને તેમના દ્વારા જાણવા મળેલ કે બહેન મૂળ જામનગરના ચેલા ગામના વતની છે તથા તેમણે પિડીતા બહેનના ભાઇ સાથે વાત કરાવેલ જે દરમિયાન બહેનના ભાઇ સાથે વાત કરી ખંભાળીયા સખી વન સ્ટોપ સેંન્ટર પર તારીખ 05/04/2021 ના રોજ બોલાવેલ અને બહેનના ભાઇ દ્વારા જાણવા મળેલ કે પિડીતા બહેનની થોડા વર્ષ પહેલા સારવાર કરાવેલ છે તથા બહેનની આશરે 12 થી માંનસિક સ્થિતિ સારી ના રહેતી હોય જેથી વાંરવાર ઘરેથી નીકળી જાય છે સખી વન સ્ટોપ સેંન્ટર દ્વારા પિડીતા બહેનનું પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ. પિડીતા બહેનના પરીવારે સખી વન સ્ટોપ સેંન્ટરના કર્મચારીઓનો આભાર માન્યોલ હતો.