કોરોના ને લઈ જામનગર સહિત ગુજરાત માટે રાહતના સમાચાર.

0
1693

જામનગર સહિત ગુજરાત માટે રાહતના સમાચાર ગુજરાતમાં નવા કેસ વધવાની ગતિ ઘટી 10-15 દિવસમાં થંભી જશે કોરોનાની રોકેટ ગતિ : નિષ્ણાંતોનું મંતવ્ય.

રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા 5.24 લાખથયા તેમાથી 3.90 દર્દી સાજા થયા.

ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14352  કેસ નોંધાયા હતા તેની સામે 7803 સાજા થઇકોરોના ને માત આપી તેમજ મંગળવારે  170 ના મોત થયા છે.

સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે.

કોરોનાના સુનામી વચ્ચે જામનગર  સહિત રાજ્યભર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

જામનગર સહિત રાજ્યભરમાં સતત વધી રહેલા કેસો પર આગામી 10-15 દિવસમાં લગામ લાગે તેવી તજજ્ઞોએ શક્યતા વ્યક્ત કરી છે.

જો આવુ થશે તો ગુજરાતના માથા પરથી મોટું સંકટ ટળી જશે.

છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત રાજ્યભરમાં વધી રહેલા કેસો વિશે અમદાવાદ સિવિલ હોસ્પિટલ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે કહ્યું કે, અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા 1200 બેડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 180 દર્દીઓ ટ્રાયઝમાં આવ્યા હતા. 17 એપ્રિલે 1200 બેડ કોવિડ હોસ્પિટલના ટ્રાયઝ એરિયામાં સૌથી વધુ 399 દર્દીઓ આવ્યા હતા, 17 એપ્રિલ બાદ સતત ટ્રાયઝ એરિયામાં આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

તેમણે કહ્યું કે, આ સિવાય સમગ્ર રાજ્યના પણ કોરોનાની સુનામી જે ગતિએ વધી રહી હતી તેની ગતિ પણ સામાન્ય થંભી હોય તેવા અણસાર મળી રહ્યા છે.

રાજ્યમાં ગઈકાલે એટલે 26 એપ્રિલે 14,340 કેસો નોંધાયા હતા, જ્યારે 25 એપ્રિલે 14,296 કેસ, 24 એપ્રિલે 14,097 કેસ, 23 એપ્રિલે 13,803 કેસ, 22 એપ્રિલે 13,105 કેસ