રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રણજીતસાગર વિસ્તારમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

0
371

રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રણજીતસાગર વિસ્તારમાં કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર

તા.09.04.2021ના રોજ શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ અને જામનગર મહાનગરપાલિકા (આરોગ્ય વિભાગ)ના સંયુક્ત ઉપક્રમે45 વર્ષથી ઉપરના નાગરિકો માટેરણજિત સાગર રોડ પર “કોવિડ -19 રસીકરણ મેગા કેમ્પ” નું આયોજન કરવામાં આવેલ હતું.

જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએઅનુરોધ કરતાં શહેરના રણજીતસાગર રહેતા વિસ્તારના 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

આ કેમ્પમાં ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર,સ્ટેન્ડિંગ કમિટીચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા,શહેર ભાજપ અધ્યક્ષશ્રી વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટરશ્રી વોર્ડ નંબર 15 શ્રીમતી હર્ષાબા જાડેજા, શહેર મંત્રીશ્રી પરેશભાઈ દોમડીયા, શ્રીરાજુભાઈ પાઘડાર, રાજુભાઈ અજૂડીયા, જયેશભાઇ દોમડીયા, મહેશભાઈ રૂપાપરા, બ્રિજેશ કાછડીયા, ગૌતમભાઈ વેકરીયા, વોર્ડ પ્રમુખ 16 તથા વિસ્તારના સર્વ મહાનુભાવ તથા ખોડલધામ સમિતિના કાર્યકર વલ્લભભાઈ બી. મુંગરા, દિનેશભાઈ દોંગા, લવજીભાઈ વાદી, ચમનભાઈ વસોયા, પરેશભાઈ અમિપરા, હરિભાઈ રાબડીયા, રામજીભાઈ ગઢીયા, આશાબેન પટેલ, પુષ્પાબેન મુંગરા, લલિતાબેન ગઢિયા, નિશાબેન ભંડેરી તથા ખોડલધામ સમિતિના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.