રાજયના કોર્પોરેટરોને મુખ્યમંત્રીની કડક સૂચના: કોન્ટ્રાક્ટગીરી કરશો તો રાજીનામુ લેતા નહિ અચકાઉં

0
354

રાજયના કોર્પોરેટરોને મુખ્યમંત્રીની કડક સૂચના: કોન્ટ્રાક્ટગીરી કરશો તો રાજીનામુ લેતા નહિ અચકાઉં

ગાંધીનગર :અમદાવાદ મહાનગરપાલિકામાં 160 કોર્પોરેટરો સાથે સત્તા મેળવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને પ્રમાણિકતાના પાઠ ભણાવ્યા.

ગાંધીનગરના ખાનગી ફાર્મમાં ભાજપના નવા કોર્પોરેટરોની ગઈકાલે મળેલી ટિફિન બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી શિક્ષકની ભૂમિકામાં નજરે પડ્યા.

પોતાના વિસ્તૃત સંબોધનમાં તેમણે કોર્પોરેટરોને અનેક


સૂચનાઓ આપવા સાથે સફળ રાજકીય જીવન માટે મંત્ર પણ આપ્યો હતો.

મુખ્યમંત્રી રૂપાણી એ પોતાનું ઉદાહરણ આપીને કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર કેવી રહી તે સમજાવ્યું.

પક્ષથી મોટું કોઈ નથી અને પક્ષના યોગદાનને યાદ રાખીને પ્રજાલક્ષી કામગીરી કરવા મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેટરોને તૈયાર કર્યા.

મોટાભાગના કોર્પોરેટરો પહેલીવાર ચૂંટાયા હોવાથી રાજકીય કારકિર્દી લાંબી ચાલે અને સ્વચ્છ રહે તે માટે મુખ્યમંત્રીએ વિશેષ ધ્યાન આપ્યું.

મુખ્યમંત્રીએ કહ્યું કે તમે લોકો નસીબદાર છો કારણકે 3 હજાર બાયોડેટામાંથી તમને ટીકીટ મળી અને પછી તમે જીત્યા. કાર્યકરો અને પક્ષના કારણે તમારી જીત થઈ છે.

ત્યારે કાર્યકરોને સાથે રાખીને ચાલવાની પહેલી ફરજ છે.

કાર્યકરોનું માન, સન્માન જળવાય તેની તકેદારી રાખવી. પ્રજાના કામોને પ્રાથમિકતા આપવી અને કોન્ટ્રાકટર સિસ્ટમથી દૂર રહેવું.

જાહેર જીવનમાં પ્રામાણિકતાના રસ્તે ચાલવાથી જ સફળતા મળે, કદાચ સફળતા મોડી મળે પણ ચોક્કસ મળે છે. કોન્ટ્રાકટરગીરી કરતા જે પણ કોર્પોરેટર દેખાશે, તેનું રાજીનામું લેતા નહીં અચકાય તેવી પણ ચીમકી મુખ્યમંત્રીએ આપી હતી.