ફરીયાદ કરતો નહી એમ કહી ઓખામાં વકીલનો કાઠલો પકડીને આપી ધમકી

0
376

ઓખામાં અકસ્માત સર્જી, ફરિયાદ કરવાની ના કહી અને સુરજકરાડી વકીલને ધમકી આપતા બાઈક ચાલક સામે ગુનો.

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા સલીમભાઈ મામદભાઈ ઘાવડા નામના 44 વર્ષના મુસ્લિમ યુવાન શુક્રવારે એક હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37એચ. 4564 નંબરના મોટરસાયકલ ચાલકે તેમની સાથે અકસ્માત સર્જ્યો હતો.

જેથી સલીમભાઈને નાની- મોટી ઈજાઓ થવા પામી હતી. આ અંગે આરોપી બાઈક ચાલક દ્વારા ફરિયાદ નહીં કરવા તથા માર મારવાની ધમકી આપી, નાસી જતાં આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે બાઈક ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 506 (2), તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.