પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા સાસરીયાઓ : ફરિયાદ થતા ઘરને તાળું માર્યાં વગર ફરાર.

0
762

મીઠાપુર પંથકમાં પરિણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકનાર સાસરીયાઓ સામે ફરિયાદ.

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરંભડા વિસ્તાર ખાતે હાલ રહેતી અને ખેંગારભાઈ ધનાભાઈ લઘાની 28 વર્ષીય પુત્રી ભાવનાબેન દેવજીભાઈ દાફડાએ મીઠાપુર ટાઉનશીપ ખાતે રહેતા તેણીના પતિ દેવજી રામજીભાઈ દાફડા, પુંજીબેન રામજીભાઈ દાફડા અને ભારતીબેન દિનેશભાઈ મિયાત્રા નામના ત્રણ સાસરીયાઓ સામે તેણીના લગ્નજીવન દરમિયાન કરિયાવર બાબતે તથા નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, વિવિધ પ્રકારે ત્રાસ ગુજાર્યો હતો.

એટલું જ નહીં, તાજેતરમાં ભાવનાબેન સાથે તેણીના પતિએ ઝઘડો કરી, ઢીકા-પાટુનો માર મારી અને તેની દીકરી સાથે પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.