નવાગામ ધેડમાં પત્ની માવતરે ચાલી જતા એકલવાયા જીવનથી કંટાળી યુવાની આત્મહત્યા.

0
819

જામનગરમાં એકલવાયા જીવનથી કંટાળી યુવાની આત્મહત્યા.

જામનગર: જામનગર નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની બાજુમાં રહેતા કિશોર ગોવાભાઇ ચાવડા નામનાં 45 વર્ષના યુવાને ગઇકાલે મોડી સાંજે પોતાના ઘેર પંખામાં ઓઢણી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ જેસાભાઇ ગોવાભાઇ ચાવડાએ પોલીસને જાણ કરતા સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે પોતે છેલ્લા ચારેક માસથી માનસિક બીમારીથી પીડાતો, હતો અને તેની દવા પણ ચાલુ છે.

જ્યારે આજથી એકાદ મહિના પહેલા તેની પત્ની માવતરે જતી રહી હોવાથી પોતે એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી તનાવમાં રહીને આખરે ગઈ કાલે આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. સીટી બી ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે.