ધ્રોલમાં માનસીક બિમારીથી કંટાળી કારોનાગ્રસ્ત રાજપુત પરિણીતાએ કરી આત્મહત્યા.

0
453

ધ્રોલમાં માનસીક બિમારીથી કંટાળી કારોનાગ્રસ્ત રાજપુત પરિણીતાએ કરી આત્મહત્યા.

કોરોના મહામારી વચ્ચે વધતા જતા આત્મહત્યાના બનાવમાં હતાશ થઇ મોત વાલુ કરતા દર્દીઓ.

જામનગર: જામનગર જીલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ ખાતે રહેતી ધર્મિષ્ઠાબા ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામની 40 વર્ષીય મહિલા છેલ્લા બે વર્ષી માનસીક બીમાર હોય અને તેઓની જામનગર ખાતે દવા ચાલું હોય અને તેઓનો થોડા દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવેલ હોય અને તેવો માનસીક બીમારીથી  કંટાળી જઇ પોતાની જાતે પોતાના ઘરે તા.23-4-21 ના શુક્રવારે સવારે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનું મૃતકના પતિ ધર્મેન્દ્રસિંહ ટેમુભા ગોહીલએ પોલીસમાં જાહેર કર્યુ છે.

આ કેસની વધુ તપાસ ધ્રોલ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. ડી.એ.રાઠોડ ચલાવી રહ્યા છે.