દરબારગઢ પાસે યુવાન પર ધોકા તલવારથી હુમલો.

0
905

દરબારગઢ પાસે યુવાન પર ધોકા તલવારથી હુમલો.

અગાઉની બોલાચાલીનો  ખાર કારણભૂત.
જામનગરના કાલાવડ નાકા બહારની અમન સોસાયટી  રહેતા એક યુવાનને અગાઉ સામે જોવાની બાબતે બોલાચાલી થઈ હતી જેનો ખાર રાખી ગઇરાત્રે આ યુવાન દરબાર ગઢ વિસ્તારમાં પાન ખાવા માટે આવ્યા હતા ત્યારે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સે  ત્રિક્ષણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

પોલીસે ઇજાગ્રસ્ત સલમાન ભાઈ ચૌહાણની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગર કાલાવડ નાકા બહાર વિસ્તારમાં આવેલી અમન સોસાયટી શેરી નંબર 3 ના બ્લોક નંબર 47 માં રહેતો સંધિ યુવાને દાઉદ અગાઉ તેમના વિસ્તારમાં રહેતા જાવેદ ઈસ્માઈભાઈ ખફી સાથે સામુ જોવા ની બાબતે બોલાચાલી થઈ હતી આ બાબતનો ખાર રાખી જાવેદ તથા તેના સાગરીતો એ સલમાન પર જીવલેણ હુમલો કરી માથાના ભાગે ધોકો ફટકારી હેમરેજકરી નાખ્યું હતું અને તલવારથી ડાબા હાથમાં ગંભીર ઇજા કરી હતી નજીવી બાબતે થયેલ હીચકારા હુમલામાં આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામેલ.

હુમલાનો ભોગ બનનાર સલમાન ચૌહાણને સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડેલ જ્યાં હાજર ડોક્ટરે માથાના ભાગે ગંભીર ઇજા થવાનું જણાવતા વધુ સારવાર માટે ન્યુરોસર્જન ડો.રૂપારેલીયા હોસ્પિટલ ખાતે તાબડતોબ ખસડેલ.

સલમાન ચૌહાણ ના નિવેદન પરથી પી.એસ.આઇ વી.કે રાતિયા એ આરોપીઓ સામે IPC- કલમ 323, ૩૨૪, ૩૨૬, ૫૦૪,૧૧૪ જીપી એક્ટ ની કલમ 135 (૧) હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.