‘તાઉ તે’ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા ખાતે મોરચો સંભાળતા હાલારના સિંહ અને રાજ્યમંત્રીશ્રી હકુભા જાડેજા.

0
382

‘તાઉ તે’ વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા દેવભૂમિ દ્વારકા ખાતે મોરચો સંભાળતા રાજયમંત્રીશ્રી હકુભા જાડેજા.

મંત્રીશ્રીએ રૂપેણ બંદરની મુલાકાત લઇ તંત્રની વ્ય્વસ્થાઓની સમીક્ષા કરી

દેવભૂમિ દ્વારકા, ‘તાઉ તે’ વાવાઝોડાના સંભવિત ખતરા સામેની લડાઇમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વહિવટીતંત્ર સજ્જ બન્યુ છે.

રાજયના અન્નસ અને નાગરિક પુરવઠામંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની દ્વારકા ખાતેની મુલાકાત દરમ્યાાન તેઓએ જણાવ્યુ કે જિલ્લા ના રૂપેણ, ઓખા, સલાયા, લાંબા બંદરોમાંથી દરિયાકાંઠાના વિસ્તાતરના 12 હજારથી વધુ લોકોનું સ્થ્ળાંતર કરેલ છે. તેઓને સલામતી માટે શેલ્ટ ર હોમ ખાતે ખસેડવામાં આવેલ છે. બંદરના આગેવાનો સાથે મંત્રીશ્રીએ બેઠક કરી પરિસ્થિવતિની સમીક્ષા કરી હતી અને લોકોને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

જિલ્લામાં બિલકુલ જાનહાનિ ન થાય તે માટે તકેદારી રાખવા સુચન કર્યું હતું. વાવાઝોડાની અસરને પહોંચી વળવા સજજ થયેલ વહિવટીતંત્રને માર્ગદર્શન આપ્યું હતું.

રાજયના મુખ્યયમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સંભવિત વાવાઝોડાનો ખતરો ટળી ન જાય ત્યાું સુધી મંત્રીશ્રીઓને જિલ્લાીના સ્થળે તંત્રને જરૂરી માર્ગદર્શન કરવા અને થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવા ખડેપગે તૈનાત છે

એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. ભગવાન દ્વારકાધિશ, હર્ષદમાતા અને ભગવાન સોમનાથ દાદાના આશીર્વાદથી આ વાવાઝોડું ગુજરાતમાંથી ટળી જાય એ માટે પ્રાર્થના કરી હતી.

જિલ્લાસમાં એનડીઆરએફની 3 ટીમ તથા એસડીઆરએફની 2 ટીમ સંભવિત વાવાઝોડાના ખતરા સામે પહોંચી વળવા તૈનાત છે ત્યાારે ગમચેતીના પગલારૂપે સ્થીળાંતર કરાયેલ લોકોને શેલ્ટ.ર હોમમાં રાખવામાં આવેલ છે. મંત્રીશ્રીએ શેલ્ટાર હોમમાં સ્થરળાંતર કરાયેલ લોકોને જીવન જરૂરી બધી જ ચીજ વસ્તુમઓ મળી રહે તે માટે ખાસ સુચન કર્યું હતું.

મંત્રીશ્રીએ રૂપેણ બંદરથી સ્થતળાંતર કરાયેલ દરીયાકાંઠાના વિસ્તા રની મુલાકાત લીધી હતી. દ્વારકા પ્રાંત અધિકારીશ્રીએ માહિતી આપતા જણાવ્યુંઠ હતું કે ટાટા કંપની અને ઘડી કંપની તરફથી ફુડપેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવામાં આવી રહયા છે.

આ સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેટારીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર સારડા, મામલતદારશ્રી એસ.એસ. કેશવાલા, પી.આઇ.શ્રી પી.બી. ગઢવી વગેરે સાથે જોડાયા હતા.