જામનગરમાં વૃઘ્ધા પર પાનની પીચકારી મારી હુમલો કર્યાની ફરિયાદ.

0
760

જામનગરમાં વૃઘ્ધા પર પાનની પીચકારી મારી હુમલો કર્યાની ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.
જામનગરમાં રણજીતસાગર રોડ પર સુભાસપાર્ક વિસ્તારમાં નવાનગર શેરી નંબર ત્રણ માં રહેતા દેવશીભાઇ રાણાભાઈ મારુ નામના 65 વર્ષના અનુસુચિત જ્ઞાતિના વયોવૃદ્ધએ પોતાના પર હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિ ના હોવાથી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કરવા અંગે પોતાના પાડોશમાં રહેતા પપ્પુ ભંગારીયા નામના દેવીપૂજક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે,

ફરિયાદી અને આરોપી બન્ને બાજુ બાજુમાં રહે છે, અને આ આરોપીએ ફરિયાદી ના ફળીયામાં પાનની પિચકારી મારી હતી.

જેથી ફરિયાદીએ પિચકારી મારવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાઇ ગયો હતો, અને હુમલો કરી દીધો હતો સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવે છે.