જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સોમવારથી તમામ ઑફિસમાં 100 ટકા સ્ટાફ કામ કરી શકશે.

0
1264

આગામી સોમવારથી તમામ ઑફિસમાં 100 ટકા સ્ટાફ કામ કરી શકશે.

સરકારી અને ખાનગી ઓફીસોને પૂરતા સ્ટાફ સાથે કાર્યરત થવાની છુટ આપતી રાજય સરકાર.

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરમાં 28મી એપ્રિલથી કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જે હવે ફક્ત 1200 કેસની એવરેજ પર હતો અને આ એવરેજમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. દરમિયાનમાં સરકાર રાજ્યમાં જનજીવન થાળે કરવાની કવાયતમાં છે.

જેથી રાજય સરકારે આજે મોટો નિર્ણય લઇ રાજયમાં તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની છૂટ આપવામાં આવી છે રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે આ કચેરીઓમાં અગાઉ સંક્રમણ વધી જતા સ્ટાફને કામ કરવા પર 50 ટકાનો કાપ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ રાજ્યમાં હવે કોરોના વાયરસના કેસની સ્થિતિ થાળે પડી જતા ધીરે ધીરે સરકાર જનજીવનને સામાન્ય બનાવી રહી છે.