જામનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓના નામની જાહેરાત:

0
101

જામનગર જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓના નામની જાહેરાત

આવતીકાલે સત્તાવાર વરણી: પ્રમુખ તરીકે ધરશી ચનિયારા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન પરમારની વરણી, ભરત બોસદિયા કારોબારી અઘ્યક્ષ, લગધીરસિંહ જાડેજા શાસકપક્ષ નેતા

જામનગર: જામનગર જિલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપને 24માંથી 18 બેઠકો મળતા સત્તાના સુત્રો ભાજપ સંભાળશે. જેના સત્તાધીશોના નામની આજે જાહેરાત કરીદેવામાં આવી છે. જો કે, સત્તાવાર વરણી આવતીકાલે કરવામાં આવશે.

જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ધરમસિંહ ચિનયારા અને ઉપ પ્રમુખ તરીકે નયનાબેન પરમારની વરણી કરવામાં આવી છે જયારે લગધીરસિંહ જાડેજા શાસકપક્ષ નેતા બન્યા છે.

આવતીકાલ તા.17ના રોજ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભા સેવા સદન ખાતે 11 વાગ્યે યોજાનાર છે જેમાં નવા વરણી પામેલ પદાધિકારીઓને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.