ચેલામાં મંજુરી વગર લગ્ન કરાવવા વરરાજાના પિતાને ભારે પડ્યા.

0
772

ચેલામાં મંજુરી વગર લગ્ન કરાવવા વરરાજાના પિતાને ભારે પડ્યા.

જામનગર : જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા ભૂપતસિંહ દાનુભા જાડેજાએ ગઈકાલે પોતાના પુત્રના લગ્ન નો સમારંભ યોજ્યો હતો.

હાલમાં કોરોનાની મહામારીને અનુરૂપ કોઈપણ ધાર્મિક કાર્યક્રમ અથવા તો લગ્ન સમારંભ યોજવા હોય તો તે માટેની વહીવટીતંત્ર પાસેથી મંજુરી લેવી જરૂરી છે.

તેમ છતાં મંજૂરી વિના લગ્ન સમારંભ ચાલુ રાખ્યો હતો. જે અંગેની માહિતી પોલીસને મળતા પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મંજૂરી વિના લગ્ન સમારંભ યોજનાર વરરાજાના પિતા ભૂપતસિંહ દાનુભા જાડેજા સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

પોલીસની આ કાર્યવાહીથી લગ્ન સમારંભ યોજનારા પરિવારમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસે લગ્ન સમારંભ પૂરો કરાવી દીધો હતો.