જામનગરના પંચવટી વિસ્તારમાં મહિલાને મકાન ખાલી કરવાની ધમકી: રીયાઝ સુલતાન બુચડ સામે ફરિયાદ

0
1805

જામનગરના પંચવટી વિસ્તારમાં મહિલાને મકાન ખાલી કરવાની ધમકી: રીયાઝ સુલતાન બુચડ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮. જામનગરના પંચવટી ગૌશાળા ખાતે રહેતી યાશ્મીન સલીમભાઇ કુંગડા (ઉ.વ.40) એ સીટી-બી માં ગઇકાલે બેડીબંદર રોડ ટી સ્ટોલ પાછળ રહેતા રીયાઝ સુલતાન બુચડની સામે આઇપીસી કલમ 504, 506(2), 427 મુજબ ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 30-11-21થી તા. 15-12-21 દરમ્યાન પંચવટી ગૌશાળા પાસે આરોપી રીયાઝે ફરીયાદીના ઘર પાસે આવીને મકાન ખાલી કરવાની ધમકી આપી મોડી રાત્રીના ઘરના રવેશના કાંચ તોડી તથા જી.જી. હોસ્પીટલ રોડ પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.