જામનગર જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢતા એસ.પી.: કુલ 21 પોલીસકર્મીની બદલી : લખધીરસિહ જાડેજા મુકાયા પેરોલ ફર્લોમાં.

0
1020

જામનગર જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢતા એસ.પી.: કુલ 21 પોલીસકર્મીની બદલી.

પોલીસ કર્મચારીઓએ કરેલ બદલીની અરજી ગ્રાહ્ય રાખી બદલીનો હુકમ કરતા એસ.પી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર જીલ્લા પોલીસવડા દીપન ભદ્રન ફરી એકવખત જીલ્લા પોલીસતંત્રમાં બદલીનો ઘાણવો કાઢ્યો છે અને કુલ 21 પોલીસકર્મીની બદલી કરવામં આવી છે.

આ બદલી અંગે જીલ્લા પોલીસવડા જાહેર કરાયેલ અખબારી યાદીની વિગત મુજબ, નીચે દર્શાવ્યા પોલીસ કર્મચારીઓએ તા.09/0721 ના રોજ અત્રેની કચેરી ખાતે રાખવામાં આવેલ ઓર્ડરલીરૂમમાં અમારા સમક્ષ, તેઓના વિવિધ કારણોસર બદલી કરી આપવા માટેની રજુઆત કરેલ હોય,જે રજુઆત વિનંતી ગ્રાહ્ય જણાતા નીચે દર્શાવેલ પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે.

આ હુકમ મલ્યેથી તુર્તજ બદલી પર છુટા કરી છુટા કર્યાની તારીખ તથા હાજર થયાની તારીખ સબંધકર્તા અમલદારોએ જણાવવી જો બદલી થયેલ કર્મચારીને તુરંત છુટા કરવામાં નહી આવે તો તેની જવાબદારી તે સબંધકર્તા પોલીસ સ્ટેશન / કચેરીના અધિકારીની રહેશે.

બદલી થયેલ પોલીસ કર્મચારીઓની યાદી નીચે મુજબ છે.