સત્યમ કોલોનીમાં યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આયખું ટુકાવ્યું

0
389

જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં અગમ્યકારણોસર યુવાને આયખું ટુકાવ્યું

જામનગરના સત્યમ કોલોનીમાં પરિવાર એપાર્ટમેન્ટ વિંગ નં.ઈ ફ્લેટ નંબર 301 ખાતે રહેતા અને નોકરી કરતા સમીરભાઈ સુમનભાઈ મોરી ઉંમર વર્ષ 35 નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે હોલના પંખાની હુકમાં દોરી વડે ગળાફાસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે માણાવદર તાલુકાના લીંબુડા ગામમાં રહેતા સુમન સામજીભાઇ મોરી દ્વારા સીટી-સી ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે, આપઘાતના બનાવથી શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.