રાજયમાં 260 પદ પર કોઈ પણ પરીક્ષા વગર થશે સીધી ભરતી..

0
805

રાજયમાં 260 પદ પર કોઈ પણ પરીક્ષા વગર થશે સીધી ભરતી..

અટકેલી સરકારી ભરતી વચ્ચે સરકારનો મોટો નિર્ણય : 3-6 મહિના સુધી હંગામી ધોરણે નિયુક્તિ અપાશે

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની ખુબ જ વિકટ સ્થિતીનું સર્જન થયું છે. ગાંધીનગરનાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિકટ છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ નહી મળી રહ્યા હોવાની મોટી ફરિયાદો ઉઠી રહી છે. કોરોનાની વિકટ સ્થિતીમાં તમામ સરકારી ભરતીઓ અટકેલી છે. તેવામાં સરકાર દ્વારા તત્કાલ અસરથી નવી ભરતી માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ પરીક્ષા વગર સીધી જ ભરતી કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે આ ભરતી હંગામી ધોરણે રહેશે. 3-6 મહિના સુધી હંગામી ધોરણે નિયુક્તિ આપવામાં આવશે.

અમદાવાદમાં સરકાર દ્વારા નવી 900 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેમાં જરૂરી સ્ટાફ માટે વિવિધ પદો પર જગ્યા બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે સરકાર દ્વારા તત્કાલ અસરથી ભરતી માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ફિઝિશિયન, પલ્મોનેરી ચેસ્ટ, ઇએમડી, એનેશ્થેશિયા, મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ફિઝિશિયન આસિસ્ટન, હોસ્પિટલ એડમિનિસ્ટર, બાયોમેડિકલ એન્જિનિયર, લેબોરેટરી ટેક્નીશિયનના પદ પર કુલ 262 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની 900 બેડની હોસ્પિટલમાં આ તમામ સ્ટાફે ફરજ બજાવવાની રહેશે.