જામનગરના પંચેશ્વર ટાવર નજીક યુવાન ઉપર બે શખસ દ્વારા હિચકારો હુમલો.

0
879

જામનગરના પંચેશ્વર ટાવર નજીક યુવાન ઉપર બે શખસ દ્વારા હિચકારો હુમલો.

જામનગર : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં યુવાન પર સરાજાહેર નામચીન સહિત બે શખસોએ હુમલો કરતા ચકચાર જાગી છે. યુવાન ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

હુમલા પાછળ જૂની માથાકૂટ કારણભૂતની આશંકા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

શહેરના ટ્રાકીકથી ધમધમતા પંચેશ્વર ટાવર વિસ્તારમાં બુધવારે સાંજે વંડાફળીમાં રહેતો વિપુલ સોલંકી નામનો યુવાન ચા ની હોટલે ઉભો હતો.

આ દરમ્યાન નામચીન શખસ અને તેનો પુત્ર ધસી આવ્યા હતા અને વિપુલ પર છરી અને ધોકા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતાં.

આ બનાવના પગલે ભારે દોડધામ અને અફડા તફડી મચી ગઇ હતી. હુમલામાં વિપુલને ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે.