જામનગરના ચકચારી દરબારના હાથે દરબારની હત્યાના બંને આરોપીઓ પોલીસની ગીરફત્તમાં.

0
1159

જામનગરના ચકચારી ઠેબા ચોકડી મર્ડરના બંને આરોપીઓ પોલીસની ગીરફત્તમાં.

જામનગર એલસીબીએ બે અલગ-અલગ ટીમ બનાવી પૂર્વ પોલીસકર્મી ઇશ્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાની ધરપકડ.

જામનગર: સમગ્ર જામનગર શહેર ચકચાર જગાવનાર બનાવ ગત ઠેબા ચોકડીએ રવિવારની સાંજે યુવરાજસિંહ જાડેજાના નામના યુવાનની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી,

આ હત્યાના મુખ્ય આરોપી એવા પૂર્વ પોલીસકર્મી ઇશ્ર્વરસિંહ જાડેજા અને વિરભદ્રસિંહ જાડેજાને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને જામનગર એલસીબીએ ઉપરોકત્ત બંને આરોપીઓને ઝડપી લીધા છે.

મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ એલસીબીએ બે ટીમ બનાવી આરોપીઓ ઝડપી લીધા હતા.

આ કેસના ફરીયાદી ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા સાથે આરોપીઓ (1) ઇશ્વરસિંહ સતુભા જાડેજા (ર) વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા ને અવાર નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરોની અદલા બદલી બાબતે મનદુ:ખ ચાલતુ હોય,તેમજ સાહેદ પ્રદિપસિહ સોઢાનુ એકાદ વર્ષ પહેલા પાકીટ આરોપી ઇશ્વરસિંહ જાડેજા ના માણસએ લઇ લીધેલ હોય,જે બાબતે પ્રદિપસિંહ સોઢા સાથે ઇશ્વરસિંહ જાડેજાને મન દુ:ખ ચાલતા ધમકી આપેલ હતી,

ગત તા.23/05/2021 ના જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે ગોકુલ વે બ્રીજ પાસે ફરીયાદી ગીરીરાજસિંહ જાડેજા તેમના ભાઇ યુવરાજસિંહ જાડેજા હાજર હતા ,આ દરમ્યાન આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નંબર જીજે.10.ડીએ.0056 લઇ આવી ખુરશી ઉપર બેઠેલ યુવરાજસિંહ જાડેજા સાથે સ્વીફટ કાર અથડાવી ગળાના ભાગે છરીનો ધા મારી તથા આરોપી વિરભદ્રસિહ જાડેજા એ ફરીયાદીશ્રી તથા સાહેદને સાથે ઝપાઝપી કરી,આરોપીઓએ યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ખૂન કરી નાશી ગયેલ હતા.

જેઓ વિરૂધ્ધ જામનગર પંચ બી ડૌોવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.11202046210469/2ર02ર1 ઇપીકો કલમ-302, 307, 120(બી), 506(ર) તથા જી.પી.એકટ-135(1) થી ગુન્હો નોંધાયેલ હતો. આ ખુનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી,અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓને સુચના કરતા તેઓએ એલ.સી.બી. પો.સબ ઇન્સ શ્રી કે.કે. ગોહિલ તથા શ્રી બી.એમ.દેવમુરારી નાઓની અલગ અલગ ટીમો આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત કરવામાં આવેલ હતી.

ઉપરોકત બન્ને ટીમો આરોપી ની તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના અજયસિંહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા ને હકિકત મળેલ કે, ગુનાના આરોપીઓ પડધરી હાઇવે રોડ તરફથી ધ્રોલ તરફ એન્ડેવર કાર નંબર જીજે.3.સીઆર.4440 મા આવી રહેલ છે જે આધારે ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર સણોસરા પાટીયા પાસે વોચમા હતા દરમ્યાન હકિકત વાળી એન્ડેવર કાર આવતા પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ તેમજ શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ તેમજ સ્ટાફએ હકિકત વાળી કારને કોર્ડન કરી આરોપીઓ (1) ઇશ્વરસિહ સતુભા જાડેજા (ર) વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા રહે.બન્ને નીર્મલનગર,જામનગર મુળ ગામ દોઢીયા તા.જી જામનગર નાઓ પકડી પાડી મજકુર બન્ને ઇસમો તેમજ તેમના હસ્તકના મોબાઇલ ફોન તેમજ ફોર વ્હીલ કાર હસ્તગત કરી પો.સબ ઇન્સશ્રી કે.કે.ગોહિલ નાઓએ કાયદેસર કાર્યવાહી થવા માટે પંચ બી ડીવી પો.સટે ને સોપી આપેલ છે. આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ અગાઉ મારામારી,રાયોટીંગ,જુગાર વિગેરે ના 7 ગુના નોધાયેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓની સુચનાથી પો.સ.ઇ.શ્રી કે.કે. ગોહીલ તથા શ્રી બી.એમ.દેવમુરારી તથા શ્રી આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ પટેલ, યશપાલસિહ જાડેજા નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, દિલીપભાઇ તલવાડીયા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી નિર્મળસિંહ જાડેજા,પ્રતાપભાઇ ખાચર, બળવંતસિહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે