જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

0
86

જામનગરના અવાવરૂ કુવામાંથી અર્ધ સળગેલી હાલતમાં મળેલ મૃતદેહની ઓળખ મેળવવા તપાસ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :

જામનગરના ધરારનગર પાસે આવેલ ડિફેન્સ કોલોની પાછળના વાડી વિસ્તારમાંથી અવાવરૃં કુવામાંથી એક અર્ધસળગેલી હાલતમાં માનવ મૃતદેહ મળી આવ્યો હતો.

મોડીરાત્રે આ ઘટના અંગે જાણ થતાં જ સિટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ.રાદડિયા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડની મદદથી કૂવામાંથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.